The Hard Truth About Family: When Standing Together Isn’t the Same as Being There

We grew up in India believing that family is everything. That no matter how tough life gets, family will be your safety net — always ready to catch you before you fall. That when the world questions you, your family will defend you. That in every major celebration or crisis, they will stand by your side — unshaken, unwavering.

And in many ways, they do.

Weddings, festivals, housewarmings, birthdays — you’ll never find yourself alone during these events. Relatives you haven’t seen in years will show up. Uncles will crack the same old jokes. Aunties will sit in circles and exchange stories. Cousins will rehearse a dance together. In-laws will smile and bless you like you’re one of their own. It all feels beautifully overwhelming — like one large emotional ecosystem moving in harmony.

But what happens when the music stops?

What happens when you don’t follow the expected script — when you choose something unconventional? When did you leave your corporate job to start your own business? When do you decide to pause everything and take care of your mental health? When you fail, fall, or simply take a path they don’t understand?

That’s when silence sets in.

Not always out of cruelty. Sometimes out of discomfort. Often out of fear. But mostly because we’ve mistaken being present at functions for being present in life.

Your uncles, who were front row at your engagement, now avoid asking how your startup is going. Your cousins who made Instagram reels with you at the wedding don’t check in when you disappear for a week. Your in-laws, who call you ‘beta,’ don’t ask why your eyes look tired in every family Zoom call. And even your parents — loving as they are — sometimes can’t understand why you’re not “normal” anymore.

Support becomes seasonal. Conditional. Social, not emotional.

We’re surrounded by people, yet feel utterly alone.

Because we’ve created a culture where the performance of the family is prioritized over the practice of care. Where being there means attending a ceremony, but not sitting down for a real, raw conversation. Where we confuse the number of people at a function with the number of people who actually ask, “How are you really doing?”

And in that gap — between what is shown and what is truly felt — lies a deep loneliness. A kind of ache that doesn’t come from lack of love, but from lack of emotional availability.

We don’t talk about it enough, but we must. Because this is how mental health quietly deteriorates. This is how people, even in the middle of large families, slip into depression. This is how suicides happen — not because people are weak, but because they feel unseen in a room full of people who claim to care.

Family is not just your parents or your siblings. It’s your entire ecosystem — your uncles, aunts, cousins, in-laws — people who play major roles in shaping your emotional world. Their silence matters. Their absence during tough times stings. Their inability to ask the right questions can sometimes push someone to the edge.

And support isn’t only about checking in when things go wrong — it’s also about cheering when someone tries something new.

When a cousin starts an Instagram page or YouTube channel, don’t just scroll past — like it, share it, leave a kind comment.
When your niece launches a small business, don’t just wait to see if it succeeds — talk about it in your groups, connect her with someone, and show genuine interest.
When your brother posts about a job requirement on LinkedIn, write two thoughtful lines of appreciation, share it in your network, and ask him about it next time you call.

These small gestures take seconds, but they tell a person, “I see you. I believe in you.”

Sometimes, the most powerful thing you can say to someone is, “I’m proud of you.”

Say it over a call. Send it in a message. Let them hear it from you, not just strangers on the internet.

To the ones who are building something from scratch — the entrepreneurs, the creators, the silent warriors of new beginnings — you are not alone in feeling this way. And it’s okay to expect more from your family.

And to those who are part of this vast family web, if you truly love someone, don’t wait for an occasion.
Be the first to clap when they try, not just when they win.
Be the one who notices their courage, not just their achievements.

Let’s redefine what support means. Let’s stop mistaking being around for being present. Let’s stop saying “We’re always there for you” and start proving it.

Let’s make family mean something more — something real.

A spiritual way in modern studies

In today’s world, it is easy to get lost in the hustle and bustle of daily life. We are constantly bombarded with information, distractions, and stress. However, amidst all of this chaos, there is a growing trend of people seeking a deeper connection to something beyond themselves – a spiritual way of life. In this blog, we will explore what it means to follow a spiritual path in modern studies and how it can benefit your life.

First and foremost, it is important to define what we mean by “spiritual.” Spirituality refers to an individual’s personal relationship with a higher power, meaning, or purpose. It is not necessarily associated with religion, but it can be. Spirituality involves an awareness of something beyond the material world and a recognition of the interconnectedness of all things.

In modern studies, spirituality can be a powerful tool for personal growth and development. By embracing a spiritual path, individuals can cultivate a sense of inner peace, purpose, and meaning in their lives. This can help to alleviate stress, anxiety, and depression, which are all too common in today’s fast-paced world.

So, what does it mean to follow a spiritual path in modern studies? There are many different ways to approach spirituality, and no one right or wrong way. However, some common practices and beliefs include:

  • Meditation: This involves quieting the mind and focusing on the present moment. Meditation can help to reduce stress, increase focus, and promote feelings of calm and relaxation.
  • Mindfulness: This is the practice of being present and aware of one’s thoughts, feelings, and surroundings. Mindfulness can help to increase self-awareness and reduce anxiety.
  • Gratitude: This involves cultivating a sense of gratitude for the people, experiences, and things in one’s life. Gratitude can help to increase positive emotions and improve overall well-being.
  • Service: This involves giving back to others and making a positive impact in the world. Service can help to cultivate a sense of purpose and meaning in life.
  • Connection: This involves connecting with others and with a higher power, however you define it. Connection can help to reduce feelings of loneliness and increase a sense of belonging.

These practices and beliefs can be incorporated into daily life in a variety of ways. For example, taking a few minutes each day to meditate or practice mindfulness, keeping a gratitude journal, volunteering in your community, or attending spiritual gatherings or retreats.

In addition to the personal benefits of spirituality, there is also a growing body of research showing the positive impact of spirituality on physical health. Studies have shown that spiritual practices such as prayer, meditation, and mindfulness can help to lower blood pressure, reduce chronic pain, and boost the immune system.

In conclusion, following a spiritual path in modern studies can be a powerful tool for personal growth and development. By cultivating a sense of inner peace, purpose, and meaning, individuals can improve their overall well-being and reduce the negative effects of stress and anxiety. Whether through meditation, mindfulness, gratitude, service, or connection, there are many ways to incorporate spirituality into daily life and reap its many benefits.

મિત્રતા: પામવાની અને માણવાની મજા

આજે ખૂબ જ અદભુત દિવસ છે. ફ્રેંડશીપ ડે અથવા મિત્રતા દિવસ જે કયો એ. પણ વાત તો દોસ્તી, યારી, મિત્રતા, ફ્રેંડશીપ આ બધા ની જ છે. મારા ખ્યાલ પ્રમાણે દોસ્તી એ દુનિયા ની સૌથી મોટી તાકાત છે. જે કાઈ પણ કરી શકવા માટે સમર્થ છે.
હજી થોડા સમય પેહલા આવેલું મૂવી “સંજુ” એની દોસ્તી માટે પણ ખૂબ વાહવાહી પામ્યું. એમાં જે જોયું એ જ રીતે મિત્રો બે પ્રકારના હોઈ છે. એક જે તમને સતત ઉપર લઇ જાવા માટે મેહનત કરતા હોઈ તો અમુક તમને પછાડી ને બેસાડી જ રાખવા માંગતા હોઈ છે. ઘણા દેખાડો કરવાના મિત્રો હોઈ તો ઘણા બસ ઈન્ટરનેટ ફ્રેન્ડ જ હોઈ.
મિત્રતા ઉપર એક ખૂબ જ અદભુત વર્ણન છે. સાચો મિત્ર એ હોઈ છે જે દુઃખ માં તમારી આગળ ઉભો હોઈ અને સુખ માં તમારી પાછળ ઉભો રહે. એક સાચો મિત્ર હંમેશા તમને સારા કાર્યો કરવા પ્રેરણા આપશે. તમને હંમેશા મોટિવેશન આપશે. તમારા મુશ્કેલ સમય માં તમને છોડી ને નહીં પણ તમારી સાથે જ રહેશે. એ તમારા દરેક દુઃખ માં ભાગીદાર બનશે. એના માટે કોઈ ને બતાવવું કાઈ જરૂરી નહીં હોઈ. ભલે ને મહિને એક વાર વાત થાઈ પણ એ પાંચ મિનિટ ના સંવાદ માં એ બધું જ સમજી જશે.
મિત્ર એ છે જેને કાઈ કેહવું ના પડે, પણ એ જોતા વેંત જ સમજી જાય. દોસ્તી એ ખાલી પળ બેપળ ની નથી હોતી. તમે ગમે તેટલા હારી ગયા હોવ છતાં પણ તમને વિજેતા બનાવી દે એ મિત્ર છે. એટલે જ કદાચ મિત્રતા ને લોહી ના સંબંધ કરતા પણ વધુ માનવા માં આવ્યો છે. ગમે તેટલું રડી રહ્યા હો પણ એના એક ફોન થી મુખ ઉપર ખુશી ની લહેર દોડી જાય એ મિત્ર છે. જેના પાર ગુસ્સો પણ કરી શકો અને પ્રેમ પણ. જે હંમેશા તમને સાચી સલાહ આપે. અને જો એને ખબર હોઈ કે તમે ખોટા છો તો તમારો કાન પકડી ને તમને વાળી પણ શકે. અને જો બની શકે તો દોસ્તી માં ક્યારેય લિમિટ રાખવાની ભૂલ ના કરતા.
જ્યારે પણ મિત્રતા ની વાત આવે તો આપણે કૃષ્ણ અને સુદામા ને કેમ ભૂલી શકીએ. પણ આપણે એ મિત્રતા ને એક જ નજર થી જોઈ છે કે કૃષ્ણ આવડી મોટી દ્વારિકાનગરી ના રાજા હોવા છતાં એના ચરણ ધોઈ ને એની સેવા કરે છે. પણ આપણને એ નથી ખબર કે જ્યારે ભગવાન કૃષ્ણ અને સુદામા આશ્રમ માં રહી ને અભ્યાસ કરતા હતા ત્યારે સુદામા એ કૃષ્ણ ની કેટલી મદદ કરી છે. એમનો કેટલો સાથ આપ્યો છે. પણ એ તો કર્મ ના ફળ કે સુદામા ને ગરીબી આવી પણ એની મિત્રતા ને કોઈ અસર ના પડી. મિત્ર આવા જ હોઈ છે એને કોઈ ના બેંક બેલેન્સ થી કાઈ ફરક નથી પડતો.
જ્યારે તમે તમારા મિત્ર સાથે હોવ અને જો તમને એમ થાઈ કે કાઈ પણ કરીશું આ સાથે જ છે ને પછી શું ચિંતા અને તેના વિચાર માત્ર થી તમારુ મન પ્રફુલ્લિત થઈ જતું હોઈ તો એક વસ્તુ યાદ રાખજો કે જો આવો એક મિત્ર તમારા જીવન માં પણ હોઈ તો શુભેચ્છાઓ કે તમે ખૂબ જ નસીબદાર છો. આ મિત્રતા દિવસે બસ એક જ પ્રાર્થના કે આવા મિત્ર ને કદી ગુમાવાનો વારો ના આવે. અને કદાચ ભલે ગમે તેટલું જતું કરવું પડે પણ આવા મિત્ર ને કદી જતો ના કરતા.
ફરી એક વાર મિત્રતા દિવસ ની શુભકામનાઓ.
જય હિન્દ.

Leave a comment

બળાત્કાર એ કર્યું ભારત ને શરમસાર

#justiseforaasifa. શરમ આવવી જોઈએ આપણને કે આપણે આવા હેશટેગ નો સહારો લઇ ને એક બાળકી ને ન્યાય અપાવવો પડે છે. એક 7-8 વર્ષની બાળકી જેને હજી પુરા સૌ એકડા પણ નથી આવડતા એવી બાળકી સાથે આટલું ક્રૂરતાપૂર્વક નો વ્યવહાર અને તેમ છતાં આપણે આપણા દેશ ને સૌથી સભ્ય સંસ્કૃતિ તરીકે ઓળખ આપીએ છીએ.
આટલું અધમ કૃત્ય થયું એ બાળકી સાથે , એ 8 વર્ષ ની બાળકી ને શુ ખબર પડતી હશે. શુ એની ચીસો અને રુદન આ બળાત્કારીઓ ને નહીં સંભળાયું હોઈ? અને આવી હીંચકારી ઘટના ઘટી ગયા પછી આપણું ન્યાયતંત્ર શુ કરી રહ્યું છે? મીડિયા પણ FIR કરવામાં આવી કેમ કે તેમણે આ બાળકી નો ફોટો જાહેર કર્યો. હું પણ માનું છું કે મીડિયા ની ભૂલ છે. પણ એક વાત વિચારો એ બાળકી નો ફોટો જોઈને કોઈ પણ માણસ આટલો ક્રૂર વિચાર કેવી રીતે કરી શકે. એની આંખોમાં એક અલગ જ નૂર હતું, એના ચહેરા ઉપર માસૂમિયત હતી, અને આ બીભત્સ વિશ્વથી અજાણ હતી એ. છતાં આ જાતિવાદ અને ધાર્મિક કટ્ટરતા નો ભોગ બની આ 7 વર્ષ ની દીકરી.
એ કોઈ હિન્દૂ કે મુસલમાન ની દીકરી નહોતી પણ એ આ ભારત દેશ ની દીકરી હતી, એ હતી આ મહાન દેશ ભારત નું ભવિષ્ય. કદાચ એ ભવિષ્ય માં આ દેશ ને આગળ લાવવામાં મદદ કરી રહી હોત પણ આપણા વિચારો એ એને જીવવા જ ના દીધી. શુ આપણે આ સમાજ ના સભ્ય છીએ જ્યાં એક ફૂલ જેવી દીકરી ને પણ હવસ ની નજર થી જોવાઇ છે. અને આ બધા વચ્ચે આપણે સપનું જોઈએ છીએ એક વિકસિત રાષ્ટ્ર ના નિર્માણ નું.
વિશ્વ નો કોઈ પણ ધર્મ કોઈ ને માનવતા શીખવી ના શકે. એ તો માણસે જાતે જ શીખવી પડે. અલગ અલગ ધાર્મિક અને જાતિવાદી સંગઠનો આપણા મન માં આ જાતિ અને ધર્મ નું ઝેર ઘોળી રહ્યા છે. હવે એ આપણા ઉપર છે કે આપણે આવા સમય માં શુ કરવું?
સમય આવી ગયો છે બદલાવ નો. સમય આવી ગયો છે આપણે ખુદ આગળ આવવાનો. આવી કોઈ પણ ઘટના આંતકવાદી ઘટના કરતા પણ વધુ હાનિકારક છે આપણા દેશ માટે.
હવે કાયદા માં પરિવર્તન ની જરૂર ઉભી થઇ રહી છે. સમગ્ર દેશ માં ક્યાંય પણ કોઈ પણ બળાત્કાર ની ઘટના બને એટલે તુરંત કાર્યવાહી અને 15 જ દિવસ ની અંદર દોષી ને ફાંસી ની સજા મળે અને તે પણ જાહેર માં એવી વ્યવસ્થા કરવામાં આવે. બળાત્કાર નો કેસ અલગ થી ચાલવામાં આવે અને તેની કાર્યવાહી ને ઝડપથી પૂર્ણ કરવા માં આવે તેવો કાયદો બનાવવાની જરૂર છે. દોષી ચાહે કોઈ પણ હોઇ ધારાસભ્ય હોઇ કે મંત્રી હોઈ કાયદો દરેક માટે સરખો હોવો જોઈએ. બાકી એ સમય દૂર નથી કે લોકો નો ન્યાયતંત્ર માંથી વિશ્વાસ ઉઠી જાય અને લોકો કાયદાને હાથ માં લઇ ને જાતે જ ન્યાય કરતા થઈ જાય.
‎અને આ તો એક જ ઘટના ની વાત થઈ છે હજી. એક સર્વે મુજબ ભારત માં દર અડધી કલાક માં એક બળાત્કાર થાય છે. અને તેમાં એક વર્ષની બાળકી થી લઈને એંશી વર્ષ ના વૃદ્ધા ભોગ બની રહ્યા છે. અને ખાલી કાયદો સખત કરવા થી કાઈ નહીં થાય. લોકો માં માનસિક સુધાર લાવવો પડશે.
‎તો આવો આપણે સૌ સાથે મળી ને સમાજ ના આ કલંક ને દૂર કરવા એકજુટ થઇએ અને એક સભ્ય અને માનવતાવાદી સમાજ નું નિર્માણ કરીયે.
‎જય હિન્દ.

Leave a comment

રાજકારણ અને વીરોધ પ્રદર્શન- બે જુના જોગી.

રાજનીતિ હંમેશા થી લોકો માટે અપ્રિય રહી છે. બધા લોકો તેને ગંદકી સમજે છે પણ તેને સાફ કરવા માટે કોઈ ઉતારવા નથી માંગતુ.આજે દરેક ક્ષેત્રમાં એટલો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે આ સભ્ય સમાજ માં શ્વાસ લેવો પણ મુશ્કેલ થઈ ગયો છે.

રાજકારણ નું સતત કથળતું જતું સ્તર આપણા સૌમાટે ખૂબ જ ચિંતા નો વિષય છે. દરેક ચૂંટણીઓ માં કેટકેટલાય વાયદાઓ કરવામાં આવે છે અને પ્રજા ની લાગણી સાથે ખીલવાડ કરવામાં આવે છે. હાલ માં જ થયેલી ઉતર-પૂર્વ રાજ્યો ની ચૂંટણી પછી ત્યાં થયેલા દેશવિરોધી સૂત્રોચ્ચાર એ આપણી નબળી કડી દર્શાવે છે. કોઈ પણ કાળે આ દેશવિરોધી પ્રવૃત્તિઓ સાંખી શકાય નહીં.

એક નવનિર્વાચીત સંસદસભ્ય પક્ષ પલટો કરી ને અસભ્ય ભાષા નો પ્રયોગ કરે અને એ પણ એક મહિલા સભ્ય માટે એ કોઈ પણ રીતે એક નેતા ને શોભે નહીં.આવી ઘટનાઓ ની ખાલી નિંદા કરવાથી કાઈ નહીં થાય. કાયદો અને વ્યવસ્થા માં સુધારો ત્યારે જ આવી શકે જ્યારે યોગ્ય નેતૃત્વ હોઈ, જ્યાં નેતા ના જ ચરિત્ર સારા ના હોઈ તો તેમના કાર્યકરો પણ મનફાવે તેમ વર્તન કરે જ ને.

આપણે આટલા વર્ષો થી જોતા આવ્યા છીએ કે ચૂંટણી પૂર્ણ થયા પછી કોઈ નેતા ક્યારેય દેખાયા નથી તો એમાં ભૂલ કોની? ભૂલ આપણી જ કે આપણે આવા નેતા ને મત આપી અને એને સરકાર માં બેસાડ્યો. અને આવી ભૂલ થઈ ગયા પછી બીજી ભૂલ એ કે એમનો વિરોધ કરવા માટે આપણે હિંસક રસ્તો અપનાવીએ છીએ. થોડાક આંકડાઓ જોઈએ તો માત્ર ગુજરાત માં છેલ્લા બે વર્ષ માં વિરોધ પ્રદર્શન માં થયેલી હિંસા માં આપણે આપણા જ પૈસા ની લગભગ એક હજાર કરોડ રૂપિયા ની સરકારી મિલકતો ને નુકસાન કર્યું છે. અને પછી આપણે જ બોલીએ છીએ કે સરકાર સારી બસ નથી મૂકતી. પણ મારા વાલા ક્યાંથી મૂકે, તમે જ વિરોધ કરવાના જોશ માં સળગાવી મુકો છો બધું.

દેશનું યુવાધન કે જેણે દેશ ના વિકાસ માં ફાળો આપવો જોઈએ એ અત્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. અને એ પણ આટલા હિંસક રસ્તે જઇ ને.

પણ આ બધી વાતો વચ્ચે પણ એક આશા ની કિરણ દેખાઈ,જ્યારે પુના થી મુંબઈ સુધી ૧૮૦ કિમી ની પદયાત્રા ખેડૂતો દ્વારા કરવામાં આવી અને એ પણ એકદમ શાંતિપૂર્વક. સલામ છે એ ત્રીસ હજાર કરતા વધુ ખેડૂતો ને કે જેમને વિરોધ પ્રદર્શન માં પણ એક અલગ જ છાપ છોડી. અને એ જ કારણ છે કે સરકારે પણ એમની આગળ નમવું પડ્યું. જો આવી રીતે વિરોધ કરવામાં આવે તો એને સલામ કરવાનું મન થાય બાકી બસ સ્ટેન્ડ અને પોલીસ સ્ટેશન સળગાવી નાખવા થી તો પોતાનું જ નુકસાન થાય.અને આવા લોકો પોતાની જ ડાળી ને કાપતા શેખચીલ્લી થી ઓછા નથી.

સરકાર અને પ્રશાસન ની એક જ જવાબદારી છે કે જનતા નો અવાજ સાંભળે અને એનું નિરાકરણ કરે નઈ કે વિધાનસભા માં મારામારી. હવે તો ચૂંટણીપંચ ને એક જ અપીલ છે કે જેવી રીતે ચૂંટણી પહેલા લોકો ને જાગૃતિ લાવવા માટે વીડિઓ દેખાડવામાં આવે છે અને સમાચાર પત્ર માં જાહેરાત આપવામાં આવે છે એ જ રીતે દરેક બેઠક પર ત્યાં ના ધારાસભ્ય અને સંસદસભ્ય નું વિધાનસભા અને સંસદ માં કેવું વર્તન હતું તેનો વીડિઓ બતાવવો જોઈએ. જેથી તેમને પણ ખબર પડે કે તેમના ચૂંટેલા નેતા ત્યાં જઈ ને કરે છે શું?

તો આવો એક શિક્ષિત અને સભ્ય સમાજ નું નિર્માણ કરીયે અને માત્ર રાજકારણ માં જ નહીં પણ દરેક ક્ષેત્રમાં ક્રાંતિ લાવીએ અને દેશ પ્રત્યે આપણી જવાબદારી નિભાવીએ.
જય હિન્દ.

લગ્નપ્રસંગ ની મથામણ

છેલ્લા થોડા દિવસો થઈ હું પણ લગ્ન માં વ્યસ્ત હતો જેના કારણે લખવા માટે નો સમય નહોતો મળતો.પણ આજે હવે જ્યારે લખવા બેઠો છું તો એના ઉપર જ લખવું જોઈએ એવો વિચાર આવ્યો. આપણે ત્યાં લગ્ન એ બહુ જ મોટા ઉત્સવ જેવું હોય છે. કેટલાય મહેમાનો આવી ગયા હોય છે, ફટાકડા, ગરબા, ડાન્સ અને આજકાલ તો DJ જ મુખ્ય જરૂરિયાત થઈ ગઈ છે.
તેમ છતાં આ લગ્નો માં ઘણું જોવા અને વિચારવા જેવું પણ મળી આવે છે.આજે જ્યારે સમય આટલો મોર્ડન વિચારો વાળો થઈ ગયો છે છતાં લગ્ન પ્રસંગોમાં આપણે જુનવાણી વિચારો ને મહત્વ આપતા હોઈએ છીએ. થોડીક વાતો ઉપર ખાસ ધ્યાન દોરવવું છે.
સૌથી પહેલો મુદ્દો છે દહેજ પ્રથા. આજે આપણા ગુજરાતમાં ભલે એટલું બધું દહેજ પ્રથા નું દુષણ રહ્યું નથી. છતાં પણ દેશ ના કેટલાક રાજ્યો તો એવા છે કે જ્યાં દહેજ વગર લગ્ન કરવા તો માત્ર સ્વપ્ન સમાન છે. આપણે ત્યાં છોકરા વાળા ના પાડે તો પણ “દીકરી ને આપવું તો જોઇએ ને” એવું કહી ને આપવા વાળા પડ્યા છે. શુ તમારી મહામૂલ્ય દીકરી આપવી કાફી નથી? અને આટલું જ નહીં લગ્નપ્રસંગ માં આવેલા દરેક મહેમાન ને પહેરામણી માં પણ ભેટ-સોગાદ આપવાની. આ તો કેવી પ્રથા?
હજી વાત કાઈ પુરી નથી થઈ જતી. લગ્ન પ્રસંગોમાં છોકરા વાળા અને છોકરી વાળા વચ્ચે જે પ્રકારે ભેદભાવ રાખવામાં આવે છે તે પણ અસહ્ય છે. હંમેશા થી જોતા આવ્યા છીએ કે છોકરી વાળાઓ એ હંમેશા નમતું જોખવું પડે છે અને કદાચ આજ કારણ હશે કે લોકો પુત્ર જન્મ નો મોહ રાખતા હશે. જેવી રીતે કન્યા પક્ષ ના લોકો હાથ જોડતા હોઈ છે ત્યારે એવું લાગે કે જાણે કન્યા ને જન્મ આપી ને તેમણે કોઈ ગુનો કરી લીધો હોય. અને એમાં પણ સમાજ ના ડર થી કેટકેટલાંય ખર્ચા નું ભારણ માતા પિતા પર આવી પડે છે એ તો કોઈ જોતું પણ નથી.
પેલા વ્હોટસએપ વાળા પણ ખોટા નથી કે લગ્ન તો કોર્ટ માં જ કરી લેવાઈ, કમસેકમ ખર્ચો તો બચે. આજકાલ લગ્ન માં લાખો રૂપિયા નો ખર્ચો કરવામાં આવે છે અને એ પણ જરૂરી નહીં માત્ર દેખાડો કરવા માટે. કરોડો રૂપિયાના ખર્ચે પોતાના બાળકો ના લગ્ન કરવા વાળા લોકો સરકાર સામે પોતાના સમાજ માટે બજેટ ફાળવવા માટે દેખાવો કરતા હોય છે. જો એટલો જ સમાજ પ્રત્યે પ્રેમ હોય તો એટલા પૈસા થી સમાજ ના બાળકો ને ભણાવી અને આગળ લાવવામાં મદદ કરી જ શકાય.
આજકાલ લગ્ન એ ખાલી બે દિલો ના મિલન નો પ્રસંગ નથી રહ્યો. હવે લગ્ન એટલે ચાર પાંચ દિવસ નો જલસો જેમાં લોકો પૈસા ઉડાવી અને મજા કરે છે. તો પાછું કોઈ કોઈ જગ્યા એ તો લગ્ન એટલે દારૂ પીવાની મોજ. શુ જરૂર છે આટલા ખર્ચા ની?
લગ્ન એટલે બે વ્યક્તિઓ કે જે હંમેશા માટે એકબીજા ના થવા જઈ રહ્યા છે એમને ઉજવવાનો દિવસ. બે પરિવારોના મિલન નો પ્રસંગ. પણ આજકાલ લગ્નપ્રસંગ માં બાકી બધા ખુશ હોઈ પણ જેના લગ્ન હોઈ એજ પરિવાર બિચારા ટેન્શનમાં બેઠા હોય કે બધા ને સાચવવા કેમ.
આપણે ત્યાં એક બહુ જ ખરાબ પ્રથા છે કે લગ્ન માં દરેક ખુશ હોવું જોઈએ. જરૂરી એ નથી કે કોણ કોણ ખુશ છે જરૂરી ખાલી એટલું જ છે જેના લગ્ન થઈ રહ્યા છે તે બંને ખુશ હોઈ. લગ્ન પ્રસંગ માં થતી મથામણ અને તકલીફો જોઈ ને આજના યુવાઓ એના થી દુર ભાગી રહ્યા છે. આજે આપણે ખાલી એટલું જ કરવાનું છે કે આપણી આવનારી પેઢીનો લગ્ન માંથી વિશ્વાસ ના ઉઠી જાય એનું ધ્યાન રાખવું. તો ચાલો આપણે પણ લગ્ન માં થતા દૂષણો ને અટકાવીએ અને સમાજ ને સ્વચ્છ બનાવીએ.
જય હિન્દ.

પ્રેમ નો ઉત્સવ – વેલેન્ટાઈન દિવસ.

છેલ્લા ઘણા દિવસોથી સમય મળતો ન હતો કાંઈક લખવા માટે. વિચારો ઘણા હતા, મુશ્કેલીઓ પણ ઘણી હતી અને લખવું પણ ઘણું બધું હતું. પછી મન થયું કે હવે વેલેન્ટાઈન દિવસ આવે છે તો ચાલો એના વિશે જ લખું.

આજનો સમય યુવાનો નો સમય છે.પણ યુવાનો ને સમય નથી. આજના થનગનતા યુવા હૈયાં આ પ્રેમ ના ઉત્સવ ની મીટ માંડી ને બેઠા હોય છે. પણ શું સાચ્ચે પ્રેમ માત્ર સાત દિવસ નો તહેવાર છે? પ્રેમ તો ૩૬૫ દિવસ માણવાનો વ્યવહાર છે.

આજના જમાનામાં માં પ્રેમ ને ખાલી ત્રણ શબ્દો થઈ તોળી દેવામાં આવે છે. “I love you” આ શબ્દો બોલવામાં સહેલા છે પણ નિભાવવા બહુ જ અઘરાં છે. આપણે જોતા આવીએ છીએ કે દર વર્ષે વેલેન્ટાઈન દિવસ ના રોજ કેટલા બધા પ્રેમી પંખીડાં જોવા મળે છે પણ ચાર છ મહિના પછી જોવો તો બંને પોતપોતાના જીવન માં મશગૂલ હોઈ અને પેલા ત્રણ શબ્દો તો ક્યાંય માળીયે ચડી ગયા હોય. ખબર નહી કેમ તે લોકો એકબીજા ને ગમી શકતા નથી.

આજના સમયમાં એજ સૌથી મોટી તકલીફ છે કે કોઈ ને કોઈ માટે જતું કરવું નથી ગમતું. માની શકાય કે તમે શું કામ જતું કરો કોઈ માટે પણ વાત જ્યારે તમારા મનમિત ની હોઈ ત્યારે? પ્રેમ તો એકબીજા માટે કાંઈક જૂનું છોડવાનો અને એકબીજા ને ગમે એવું કંઈક નવું અપનાવવાનો સબંધ છે. બોલવા માટે તો ઘણું બોલી શકાય છે પણ જ્યારે તેને નિભાવવા માટે નો સમય આવે છે ત્યારે જ પગલાં પાછા પડે છે.

હવે વાત આવે કે સાચો પ્રેમ કોને કહેવાય?

જ્યારે કોઈ માટે નિસ્વાર્થ લાગણીઓ ઉભી થઇ અને એના માટે કઈ પણ કરી છુટવાનું મન થઇ તો સમજી જવું કે પ્રેમ છે. પ્રેમ કોઈ દિવસ દેખાવ થી નથી થતો. જો તમે કોઈ સુંદર સ્ત્રી કે પુરૂષ ને માત્ર દેખાવ જોઈ ને પ્રેમ માં પડી જાવ તો ચેતજો કદાચ એ ખાલી ક્ષણભર નું આકર્ષણ હોઈ શકે છે. ઘણી વખત થોડી વાર માટે નું આકર્ષણ તમે પ્રેમ સમજી બેસો અને પછી પસ્તાવા નો વખત આવે.

પ્રેમ નો બીજો એક નિયમ છે કે તેમાં કદી શરતો નથી હોતી . જો તમારા પ્રેમસંબંધ માં શરતો હોઈ કે આમ નહીં કરે તો હું નહીં રહું તારી સાથે તો સમજી લેજો ત્યાં પ્રેમ પણ નથી. પ્રેમ માં શરતો કે નિયમો નથી હોતા. પ્રેમ માં એકબીજા પર કોઈ ફરજ પાડવામાં નથી આવતી. ફિલ્મ મહોબ્બતે નો એક બહુ જ સુંદર ડાયલોગ છે ” કોઈ પ્યાર કરે તો તુમસે કરે , તુમ જૈસે હો વૈસે કરે, કોઈ તુમ્હે બદલ કે પ્યાર કરે તો વો પ્યાર નહીં સોદા કરે, ઔર સાયબા પ્યાર મેં સોદા નહીં હોતા.” આટલા એવા આ વાક્ય માં બધું જ આવી ગયું. પ્રેમ માં પરિવર્તન ને જરૂર જ નથી.

સાચા પ્રેમ માં ભેટ થી વધુ લાગણી મહત્વની ભૂમિકા ભજવે છે. પણ આજે લાગણી કરતા દેખાવ નું મહત્વ વધતું ગયું છે અને કદાચ એને જ કારણે બ્રેક-અપ અને ડિવોર્સ ના કિસ્સાઓ પણ વધતા જય રહ્યા છે.

બીજી એક જરૂરી વાત હોય તો એ છે ભરોસો. આજકાલ ના સમય માં ભરોસો બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. પ્રેમ તો થઈ જાય છે પણ ભરોસો નથી થતો. અને ભરોસા નું પણ એવું જ છે. થવા માટે બહુ જ સમય માંગે પણ તૂટવા માટે એક ક્ષણ જ કાફી છે. અને જો કોઈ ને પ્રેમ કરો તો તેના પર આંખ બંધ રાખી ને ભરોસો કરવાની હિંમત પણ રાખો.

અને આમ પણ પ્રેમ તો એવી વાત છે જે ક્યારેય ખૂટે જ નહીં. પ્રેમ ઉપર વાત કરવી હોય તો એક જન્મ પણ ઓછો પડે અને જો સમજી શકાય તો એક ક્ષણ પણ કાફી થઈ પડે. તો આવો આ પ્રેમ ના ઉત્સવ ને ઉજવીએ અને હા… બીજી એક વાત બજરંગ દળ ના નામ પર કોઈ પ્રેમીપંખીડા ને હેરાન ના કરીએ એનું પણ ધ્યાન રાખવું. અને આમ પણ આપણે ભારતીય તો ઉત્સવ પ્રેમી જનતા છીએ એટલે આ વખતે પણ આને પશ્ચિમી સંસ્કૃતિ ની દેન છે એવું કહી ને વિરોધ કરવાને બદલે પ્રેમ કરવાનું શીખવુ જોઈએ. જો ખૂબ જ મન થાઈ વિરોધ પ્રદર્શન કરવાનું તો એટલા પૈસા નો ઉપયોગ ગરીબ બાળકો ને ભણવામાં મદદરૂપ થઇ ને કરજો.

જય હિન્દ.

Leave a comment

શુ ગાંધીજી એ ફરી જન્મ લેવાની જરૂર છે?

શીર્ષક વાંચી ને ઘણા ને એમ થતું હશે કે શું હશે આ પ્રશ્ન નો ઉદેશ્ય? પણ સાચ્ચે માં આપણે ફરી એક વાર એમની જરૂર પડી છે. એમને આપેલા સત્યાગ્રહ ને લોકો લાંછન લગાવી રહ્યા છે. છેલ્લા થોડા સમય થી તો જાણે લોકો ને વિરોધ પ્રદર્શન માં મજા પડી ગઈ હોઇ એવું લાગે છે. તેમને મન ફાવે તેમ વિરોધ કરી રહ્યા છે. એક વાત સમજાવો કે ટાયર સળગાવી ને તમે શુ સાબિત કરવા માંગો છો. બસ ઉપર પથ્થરમારો કરવાથી શુ ફાયદો થવાનો છે?

આજે જ્યારે સમાચાર માં વાંચ્યું કે ફિલ્મ પદ્માવત ના વિરોધ માં લોકો એ બેકાબુ બની ને એક સ્કુલ બસ પર પથ્થરમારો કર્યો અને એટલું જ નહીં અંદર રહેલા બાળકો ના રોવા નો અવાજ પણ એમના દેશપ્રેમી કાન ના સાંભળી શક્યા. સદી ઓ જૂની એક ઘટના ને લઇ ને વિરોધ કરવા માટે તેમને દેશ ના ભવિષ્ય ને પણ ના બક્ષ્યું.

એવું કહેવાય છે કે બાળકો ના મન માં એક વાત છપાઈ જાય તો એ મિટાવી નથી શકાતી. આ બાળકો મોટા થઈને આ દેશ નું સન્માન કેમ કરી શકે જ્યાં આવા માણસો વસે છે. આ દેશ ને ભય બોર્ડર પાર રહેલા ત્રાસવાદીઓ થી નથી પણ એવા લોકો થી છે જે દેશ માં રહી ને જ દેશ ને ખોખલો કરી રહ્યા છે.

જાપાન જેવા દેશો માં જ્યારે સરકાર નો વિરોધ કરવો હોય તો ત્યાં ના લોકો રોજ કરતા વધુ કામ કરે છે કેમ કે જાપાન પાસે માલ નો સંગ્રહ કરી શકવાની વ્યવસ્થા નથી. વધુ કામ કરવાથી તૈયાર થયેલો માલસામાન સાચવવો ક્યાં એ મુશ્કેલી બની જાય અને સરકારે એમની વાત સાંભળવી પડે. પણ આપણે ત્યાં તો લોકો કામ છોડી ને નુકસાન કરવા લાગે. બસ, પોલીસ સ્ટેશન, રેલવે સ્ટેશન જેવી જાહેર મિલકતો ને નુકસાન કરી ને પોતાને જ નુકસાન કરતા હોય છે.

નાની નાની વાતો માં બંધ જાહેર કરી દેવો અને એટલું જ નહીં પણ જબરદસ્તીથી દુકાનો બંધ કરવામાં આ લોકો ને મજા આવે છે.આ લોકો કોઈ દેશપ્રેમી કે કોઈ સમાજસેવક નથી. આ લોકો નું કામ જ છે કેમ કરી ને બીજા ને પરેશાન કરવા. રાજકારણ રમી ને પોતાના રોટલા શેકી લેવા વાળા લોકો છે આ. આ એજ લોકો છે જે પોતાની જરૂરિયાત માટે લોકો ની લાગણી નો મન ફાવે તેમ ઉપયોગ કરે છે. આમ જનતા ને ઉશ્કેરી ને પોતાનો મતલબ કાઢી લે છે.

આપણે જરૂર છે તો માત્ર એક સારા વિચાર ની. આપણે આ બધા જ્ઞાતી જાતિ ના ભેદભાવ માંથી બહાર આવી ને તેનાથી આગળ વિચારવાની જરૂર છે. વિરોધ કરવો જ હોઈ તો શાંતિ થી કરો. રસ્તો મુશ્કેલ છે પણ તેમાં વિજય નિશ્ચિત છે. જો શસ્ત્ર ઉપાડ્યા વગર એક દુર્બળ મોહનદાસ ગાંધી આ દેશ ને આઝાદ કરાવી શકે તો આપણે પણ બદલાવ લાવી જ શકીયે.

પણ જો આપણે કોઇ ને શાંતિ ની વાત કરીયે તો એમ બોલે કે દેશ ને આઝાદી તો ભગતસિંહ જેવા યુવાનો એ અપાવી. વાત સાચી છે કે આપણે એમના મહામૂલ્ય યોગદાન ને ભૂલી ના શકીયે પણ એ વાત પણ યાદ રાખવી જોઈએ કે એમને દેશ માટે લડાઈ લડી હતી અને તમે દેશ સામે જ લડત કરો છો.

એક સામાન્ય માણસ કે જે માંડ માંડ કરી ને ઘર ચલાવતો હોઈ એ લોન લઇ ને એક મોટરસાયકલ ખરીદે અને એના થોડા જ દિવસ માં એના મોટરસાયકલ ને વિરોધ પ્રદર્શન કરવામાં સળગાવી દેવામાં આવે. આ તો કેવો વિરોધ? શુ આપણે માનવતા ભૂલી ચુક્યા છીએ?

ફિલ્મો માત્ર મનોરંજન માટે હોઈ છે. ફિલ્મો આવશે અને ઉતરી પણ જાશે. પણ.માનવતા… એ હંમેશા જીવંત રહેવી જોઈએ. સૌને માનવતા જાળવી રાખવા પ્રાર્થના છે.

પ્રજાસત્તાક દિવસ ની સૌને શુભેચ્છા…

જય હિન્દ

શિક્ષણ વિના સિદ્ધિ નહીં.

સમાજ સારો ક્યારે બની શકે? જ્યારે સમાજ ના દરેક વ્યક્તિને સમાન અવસર મળે શિક્ષણ પ્રાપ્ત કરવાનો અને તેના વિચારો સમગ્ર વિશ્વ સામે રજુ કરવાનો. સુશિક્ષિત સમાજ ત્યારે જ બની શકે જ્યારે સમાજ નો દરેક વ્યક્તિ સારા અને ખરાબ વચ્ચે નો ફરક સમજતો થઈ જાય.

જેવી રીતે ઘર બનાવવુ હોઈ તો તેનો પાયો મજબુત બનાવવો જરૂરી છે એ જ રીતે દરેક બાળક ના સંપૂર્ણ ઘડતર માટે તેનો શેક્ષણિક પાયો મજબૂત હોવો ખૂબ જરૂરી છે. પહેલા કરતા અત્યારે લોકો બાળકો ના શિક્ષણ માટે વધુ વિચારતા થયા છે. આજે માં-બાપ પોતાના બાળકો ના ઉજ્જવળ ભવિષ્ય માટે તેમને સારી શાળાઓ માં અભ્યાસ માટે મોકલતા થયા છે. આ ઉપરાંત સરકાર પણ નવી નવી યોજનાઓ અમલમાં લાવી ને ગામડાઓમાં તેમજ અન્ય પછાત વિસ્તારમાં શિક્ષણ વ્યવસ્થા પોહચાવી રહી છે. એ ઉપરાંત મફત અને ફરજીયાત શિક્ષણ ઉપલબ્ધ કરાવી ને લોકો ને શિક્ષણ સાથે જોડવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ અફસોસ આમ છતાં આપણે ત્યાં સાક્ષરતા દર માં કોઈ અસરકારક વધારો જોવા નથી મળી રહ્યો.

આજકાલ બાળકો ને સેન્ટ્રલ બોર્ડ માં અને ઇન્ટરનેશનલ બોર્ડ માં મુકવાનો ક્રેઝ વધી રહ્યો છે. પહેલા કરતા શાળા અને કૉલેજો ની સંખ્યા માં પણ વધારો જોવા મળી રહ્યો છે.પણ તેમ છતાં શિક્ષણ નું સ્તર સતત કથળતું જઇ રહ્યું છે.જે ખૂબ જ ચિંતાજનક બાબત છે. આપણી શિક્ષણ વ્યવસ્થા વૈશ્વિક સ્તરે નબળી પડી રહી છે. જે માટે માત્ર સરકારે જ નહીં પણ આપણે પણ જાગૃત થવું પડશે.

સૌપ્રથમ વાત કરીએ પ્રાથમિક શિક્ષણ ની તો આજે ભારત ના લગભગ દરેક ગામડાઓ માં પ્રાથમિક શાળાની સુવિધા ઉપલબ્ધ છે. પરંતુ તેમ છતાં શિક્ષણ પ્રત્યે સભાનતા નથી. સરકાર મફત શિક્ષણ ઉપરાંત પુસ્તકો અને મધ્યાન ભોજન મફત આપી ને લોકો ને શિક્ષણ તરફ આકર્ષી રહી છે. નવી નવી યોજનાઓ જેવી કે શિષ્યવૃત્તિ યોજના તેમજ કન્યા કેળવણી યોજના ઉપરાંત શાળા એ આવતા બાળકો ને સાઇકલ આપવાની પણ યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમ છતાં શિક્ષણ ની ગુણવત્તા માં સુધારો નથી થઈ રહ્યો. કારણ છે શિક્ષકો પૂરતા પ્રમાણમાં નથી અથવા તો જે છે એ પુરી ક્ષમતા થી ભણાવતાં નથી. જાપાન જેવા દેશો માં તો નીચલા ધોરણમાં પુસ્તકો અને પેન્સિલ ને પણ જરૂરી નથી ગણવામા આવતી. પરંતુ તેમને માત્ર ગમ્મત સાથે જ્ઞાન મળી રહે અને તેમનું સંપૂર્ણ ઘડતર થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.

આજે શિક્ષકો અને શેક્ષણિક સંસ્થાઓ નું કામ ખાલી શિક્ષણ આપવાનું જ નહીં પણ બાળકો માં સંસ્કાર અને રાષ્ટ્રભાવના નું સિંચન કરવાનું પણ છે. પ્રાથમીક ધોરણ થી જ તેમને જ્ઞાતિવાદ અને ભ્રષ્ટાચાર વિરોધી વિચારો થી સુશિક્ષિત કરવા જોઈએ.તેમના માં જ્ઞાન અને કૌશલ્ય ની વૃદ્ધિ થાય તેવી વ્યવસ્થા કરવામાં આવવી જોઈએ.

જો સમાજ સુશિક્ષિત બનશે તો અને માત્ર તો જ આપણે સમગ્ર વિશ્વમાં પોતાનો પરચમ લહેરાવી શકીશું. આજે આપણી પાસે યુવાનો છે કે જે સમગ્ર વિશ્વ ને ટક્કર આપી શકે એમ છે પણ તેમને જરૂર છે યોગ્યતા પ્રાપ્ત કરવાની. જે માટે આપણે IIM અને IIT જેવી વિશ્વ કક્ષાની વધુ શેક્ષણિક સંસ્થાઓ ની જરૂર છે. જેમાં દરેક ને સમાન તકો મળી રહે તે ઈચ્છનીય છે.

વિશ્વમાં સૌથી વધુ સ્નાતકો આપણા દેશ માં છે પરંતુ તેમની ગુણવત્તા ને કારણે તે ફાયદાકારક નથી સાબિત થઈ શકતું. આપણે જરૂર છે યોગ્ય શિક્ષકોની . આજે સૌથી વધુ જવાબદારી શિક્ષકો પર છે. કેમ કે તેમના હાથમાં આપણા દેશનું ભવિષ્ય તૈયાર થઈ રહ્યું છે.શિક્ષક એક દિવસ ના ભણાવે એ ચાલશે પણ એ ગુણવતારહિત ભણાવશે એ નહીં ચાલે.

અત્યારે આપણે ત્યાં એક નવો પ્રશ્ન આવી પડ્યો છે અને એ છે પ્રાઇવેટ શેક્ષણિક સંસ્થા દ્વારા ફી વધારવા માં આવી રહી છે. જે અન્યાય થઈ રહ્યો છે એવું લોકો કહી રહ્યા છે. જોકે આ વાત ખોટી છે લોકો પોતે જ પોતાના બાળકો ને વધુ સગવડો ધરાવતી શાળા માં મોકલે છે અને એ માટે તેઓ પૈસા વસૂલ કરે છે. આજે સરકારી શાળાઓ માં પણ શિક્ષણ નું સ્તર સુધરી રહ્યું છે. જો ફી વધારા થી એટલી જ તકલીફ હોય તો લાવો પરિવર્તન અને પોતાના બાળકો ને સરકારી શાળા માં ભણાવો.

સમય આવી ગયો છે કે આ બધી વાતો થી આગળ આવી ને દેશ ના વિકાસ માં સાથ આપવાનો. આપણે બાળકો ના શિક્ષણ માં રસ લેવાની જરૂર છે. દર વર્ષે મંદીરો માં કરોડો ની આવક થઈ છે પણ જો એટલા જ પૈસા આ દેશ ની શિક્ષણ વિભાગ ને આપવામાં આવે તો દરેક ગામો માં સારી શાળા-કૉલેજો ની સ્થાપના થઇ શકે. દરેક ને ગુણવત્તાસભર શિક્ષણ મળી શકે. જો દરેક વ્યક્તિ વિચાર કરે કે પોતે કોઈ પણ એક બાળક ને શૈક્ષણિક રીતે દત્તક લઇ અને તેને આગળ લાવવામાં મદદરૂપ થઈએ તો આપણે એક સુશિક્ષિત અને સુદ્રઢ સમાજ બનાવી શકીએ.

સવાલ એ નથી કે સરકાર સમાજ માટે શુ કરે છે. સવાલ એ પૂછો કે આપણે દેશ માટે શું કરી શકીએ છીએ. તો જ આપણે આ ચિત્ર બદલવામાં સફળ થઈશું. જય હિન્દ.

એક વિશ્વ વિચારનું

વિચારશક્તિ, એક માત્ર એવી આવડત કે જે ભગવાને માત્ર મનુષ્ય ને જ આપી છે અને તેમ છતાં આપણી હાલત પ્રાણીઓ કરતા પણ કફોડી છે. આજે સમાજ અને સમય ની જોહુકમી થી આપણે સંપૂર્ણ આઝાદ હોવા છતાં આપણી હાલત પિંજરામાં રહેલા સિંહ જેવી છે. વિચારો એ આપણું પ્રતિબિંબ છે. તેના થકી માણસ ને જાણી અને પારખી શકાય છે. અને આમ પણ વિચાર એ દુનિયા ની સૌથી તાકાતવર વસ્તુ છે. કેમ કે એક શક્તિશાળી વિચાર સમગ્ર વિશ્વ ને બદલી શકવાનું સામર્થ્ય ધરાવે છે. 

“બડે સે બડા આઈડિયા, પૈસો સે નહીં એક આઈડિયા સે બડા હોતા હૈ” આ છે ફિલ્મ બદમાશ કંપની નો ડાયલોગ. ભલે કેવાય ડાયલોગ પણ આમાં પણ ખૂબ જ મોટી વાત કહી દીધી છે.તમે જ વિચારો જો વૃક્ષ પર થી નીચે પડતા સફરજન ને જોઈ ને ન્યૂટન ને વિચાર જ ના આવ્યો હોત તો? જો રાઈટ ભાઇઓ ને હવા માં પણ ઉડી શકાય તે વિચાર જ ન આવ્યો હોત તો? અને જો માર્ક ઝુકરબર્ગ ને ફેસબુક બનાવવાનો વિચાર જ ન આવ્યો હોત તો? તો અત્યારે આપણે ક્યાં હોત? 

આપણે અત્યારે એવા સમય માં જીવી રહ્યા છીએ કે જો એક પણ ક્ષણ નો વિલંબ કર્યો તો આપણો વિચાર ખાલી મન માં જ રહી જાય અને કોઈ બીજો એને પોતાનું હથિયાર બનાવી અને બાજી મારી જાય. હવે આપણે આપણા વિચારો ને બાંધી ને ના રાખતા તેનો ઉપયોગ શક્તિ તરીકે કરી અને આગળ વધવાનો સમય આવી ગયો છે.

ભારત જેવો તરવરીયા નવયુવાનો નો આ દેશ અને તેમ છતાં સમગ્ર વિશ્વ માં તેનું સ્થાન આટલું પાછળ એ કોઈ ના કોઈ ખૂણે આપણી નકામયાબી સૂચવે છે. આપણો દેશ કે જે અત્યારે વિશ્વસતા બનવા માટે સયુંકત રાષ્ટ્ર ના દરવાજે ટકોરા દઈ રહ્યો છે એવો આ દેશ એના જુના અને રૂઢિવાદી વિચારો ને કારણે પાછળ ધકેલાઈ રહ્યો છે. આપણી આ હાલત તબેલા માં બાંધેલા ઘોડા જેવી છે કે જે દોડી શકે તેમ છે અને એટલું જ નઇ પોતાના પ્રતિસ્પર્ધી ને હંફાવી દેવાની ક્ષમતા ધરાવે છે. પણ તેના પગ રૂઢિવાદી વિચારો ની સાંકળ માં બંધાયેલા છે.

આજે ૨૧ મી સદી માં પણ આપણા દેશ માં યુવાનો ના નવા વિચારો ને પશ્ચિમી સંસ્કૃતિ નું નામ દઈ ને દબાવી દેવામાં આવે છે.તેમના વિચારો અને તેમની જીવનશૈલી ને મહત્ત્વ આપવામાં નથી આવતું જેને કારણે તેમના મન માં અંદર અને અંદર દેશ અને સમાજ માટે નફરત નું ઝેર બનવાની શરૂવાત થઈ જાય છે. જે સમાજ અને દેશ ના વિકાસ માટે ખૂબ જ હાનિકારક છે.

આ દેશ માં આજે પણ કોઈ છોકરી કે સ્ત્રી ને કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતી જોવા મળે તો આપણો સભ્ય સમાજ તેને ચારિત્રહીન ગણી લે છે. આજે આપણા દેશ માં છોકરીઓ જાહેર માં પુરુષો સાથે વાત કરવાનું ટાળે છે અને એ પણ માત્ર સમાજ ના ડર ને કારણે . તો શુ આ રૂઢિચુસ્તતા પણ એક ત્રાસવાદ નથી? શુ આ એજ ભૂમિ છે જ્યાં ભગવાન કૃષ્ણ એ એકલા હજારો ગોપીઓ સાથે રાસલીલા રમી હતી? શુ આ ભૂમિ એ અહલ્યાબાય, મીરાંબાઈ, રાણી લક્ષ્મીબાઈ અને મધર ટેરેસા જેવી મહાન સ્ત્રીઓ ને જન્મ નથી આપ્યો? તેમ છતાં આપણી માનસિકતા અને રૂઢિચુસ્ત વિચારો ને કારણે આપણે સ્ત્રીઓ ને ગોંધી રાખી છે. “જા સીમરન જા, જી લે અપની ઝિંદગી” આ ડાયલોગ તો ખાલી હવે ફિલ્મી થઈ ગયો છે. 

આ એજ ભારત દેશ છે જ્યાં ના સ્વામી વિવેકાનંદ ના આધ્યાત્મિક વિચારો એ સમગ્ર વિશ્વ ને આશ્વર્યચકિત કરી દીધું હતું.આ એજ ભારત ની ભૂમિ છે જેના વિચારો અને સંસ્કૃતિ થી આકર્ષાઈ ને સ્ટીવ જોબ્સ અને માર્ક ઝુકરબર્ગ જેવા લોકો પણ અહીં માનસિક શાંતિ માટે આવ્યા હતા. આ એજ દેશ છે જ્યાં ના એક વીરલ સંત પ્રમુખ સ્વામી મહારાજે સંયુક્ત રાષ્ટ્ર ની ધર્મસંસદ માં દરેક સમાજ અને ધર્મ ને સાથે રહી ને આગળ વધવા ની ભાવના રજુ કરી હતી. એજ દેશ જેણે સમગ્ર વિશ્વ ને શાંતિ અને અહિંસા ની શિખ આપી અને ક્રાંતિ લાવી દીધી પરંતુ આજે પોતાની જ સંસ્કૃતિ માટે ઝઝૂમી રહ્યો છે આ દેશ. અને એનું કારણ કાઈ બીજું નહીં પણ આપણી વિચારસરણી અને રૂઢિચુસ્તતા જ છે.

આજે પણ આપણે ત્યાં વેલેન્ટાઈન દિવસ અને અન્ય દિવસો માં પ્રેમીપંખીડા ને પરેશાન કરવા વાળા અને તેમના પર ટામેટા અને ઇંડા ફેંકવા વાળા ધાર્મિક સંગઠનો પડ્યા છે.દેશ પ્રેમ ના નામે વર્ષે કેટલાય લોકો ને હેરાન કરી નાખી અને પોતાની માનસિકતા સંતોષી રહ્યા છે. એટલું જ નહીં પ્રાથમિક શાળામાં ભણતા બાળકો ને પણ બાળપણથી અલગ અલગ બેસાડી તેમના મન માં પણ આ વિચારો નું ઝેર ઘોળી રહ્યા છે. આપણા દેશને આજે એવા લોકો ની જરૂર છે જે આગળ આવી ને સમાજ ને એક નવી દિશા તરફ લઈ જાય. અને સૌને સાથે લઈ ને આગળ વધે. આજે ઘણા લોકો એવું માને છે કે અશિક્ષિત લોકો જ સમાજ ને સંકુચિતતા થી દૂષિત કરી રહ્યા છે. પણ આપણી વચ્ચે રહેલા શિક્ષિત અને જવાબદાર નાગરિકો પણ ઘણી હદ સુધી છીછરી માનસિકતા ધરાવતા હોય છે. શાળા માં ભણતા પોતાના બાળકોને સારી જાતિ ના મિત્રો બનાવવાની સલાહ આપી અને માતાપિતા ખુદ પોતાના બાળકો ને આ રૂઢિચુસ્ત માનસિકતા વારસા માં આપવા માંગતા હોય છે જે આપણા દેશ માટે ખતરા ની ઘંટી સમાન છે.

આપણે જરૂર છે માળખાકીય પરિવર્તન ની અને એક નવી વિચારસરણી ની. બે વર્ષની બાળકી થી લઈ ને ૮૦ વર્ષ ના વૃદ્ધા પર થતા બળાત્કાર એ આપણા સભ્ય સમાજ ની વરવી વાસ્તવિકતા દર્શાવે છે. આંતરજ્ઞાતિ માં થતા લગ્નો ને કારણે કરવામાં આવતી હત્યાઓ આપણી સંકુચિત માનસિકતા બતાવે છે. અને એટલું જ નહીં પરિવર્તન લાવી રહેલા લોકો ને પરેશાન કરીને આપણે પોતે જ પોતાના પગ ઉપર કુહાડી મારી ને શેખચીલ્લી સાબિત થઈ રહ્યા છીએ.

તો હવે પ્રશ્ન થાય કે આ વિચારધારા બદલવા કરવું શું? કઇ રીતે આ માનસિકતા બદલી શકાય? એક જ જવાબ છે આનો “Think outside the box”. આ માત્ર ચાર અંગ્રેજી શબ્દો નથી પણ આમ જુઓ તો પરિવર્તન ની શરૂઆત કરી શકે તેવું ટોનિક છે.આપણે બસ આપણી વિચારસરણી બદલવાની જરૂર છે. આપણા વિચારો જે એક ચોક્કસ હદ સુધી બંધાઈ ગયા છે તેને મુક્ત આકાશ સુધી વિસ્તારવાની જરૂર છે.કોઈ શુ કહેશે કે પછી સમાજ શુ વિચારશે એ વાત ને ભૂલી અને આગળ વધવાનો સમય આવી ગયો છે.દરેક વ્યક્તિને વિચારવાની અને પોતાના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા મળેલી છે.આપણે આપણા વિચારો ને જુદા જુદા માધ્યમથી લોકો સુધી લઇ જવાની જરૂર છે.સમય પાકી ગયો છે એક નવા ભવિષ્ય માટે , એક નવા ઉજ્જવળ ભવિષ્ય માટે કે જ્યાં કોઈ પ્રકાર નું બંધન ના હોઈ. દરેક વ્યક્તિ પોતાની મરજી થઈ જીવી શકે અને પોતાના વિચારો રજુ કરી શકે. પણ હા, શરત માત્ર એટલી છે કે તમારા વિચારો કે કાર્ય કોઈ બીજા ને નુકસાન કે હાનિ ના પોહચાવવું જોઈએ.

માત્ર આપના દેશ ના યુવાનો જો આગળ આવી ને સંકલ્પ લે અને શરૂવાત કરે એક નવા ભવિષ્ય ની તો કોઈ ની તાકાત નથી આ દેશ ને અટકાવી શકે ફરી એક વખત મહાન રાષ્ટ્ર બનવાથી. આપણે આપણા વિચારો ને વિશ્વ ની સામે મૂકી ને બતાવી દેવા નું છે કે જો આ દેશ નો યુવાન ધારે તો કઈ પણ કરી શકે . જીદ કરો અને દુનિયા બદલો. તો આજ થી જ શરૂવાત કરો એક નવા બદલાવ ની અને આપના દેશ ને આગળ લઈ જવામાં પોતાનો ફાળો આપો. જય હિન્દ.